Wednesday, April 17, 2024

 


Tata- Ideal Indian Industrial House 

                                                              Jamsedji Tata, one of the Parsi community members, Started the first steel mill in Jamshedpur in Bihar and is now in Jharkhand in India. He also established the first five-star Taj Mahal Hotel in Mumbai during British rule in India. They are also the pioneer of the cancer hospital 'Tata Memorial Hospital' in Mumbai, India. Tata has also created a trust for their own community to see that any Parsi does not suffer for wants of financial help. In short, it is a soft-spoken and friendly community. 



                                                             Parsi community singley is tiny in terms of its population but has made remarkable contributions to public service in India. Parsi known as Zorastrian came from Persia and landed in South Gujarat, India with the assurance to the king that they would mix with local people like sugar mixed with milk. 



                                                            Tata owns 'Air India 'one of the biggest Airlines in India. They are also in the Car manufacturing industries including in the manufacturing of electric cars. One in Seven passenger cars in India is sold by Tata Motors.



                                                             Tata also has several chains of Hotels in most of India's metropolitan Cities, including at all important tourist resorts. Besides Tata is in the high-tech sector also under the name of 'Tata Consultancy' which is spread worldwide.



                                                              Tata has recently announced it will put up  Chipmaking plants in the States of Gujarat and Assam in India in collaboration with a Taiwanese company. The Gujarat plant will cost  11 Billion Dollars with employment of 20000 people while the Assam packaging plant will cost 3 Billion Dollars with employment of 30000 people. 




                                                            Tata is a Century-old Company but observes high Moral standards in Business. Hence every day it is making progress and now has become a company worth about 400 Billion Dollars.

                                       *********************************

                                                                

Saturday, April 13, 2024



  કેલિફોર્નિયા 

                                                                        કેલિફોર્નિયા એ અમેરિકાનું કુદરતી અને આર્થિક રીતે સમૃદ્ધ રાજ્ય છે. ત્યાં દુનિયાની સકલ ફેરવનાર સિલીકોન વેલી આવેલી જ્યાં વિશ્વના સમૃદ્ધ લોકો પણ  રહે છે. સાથે સાથે દુનિયાની  પ્રસિદ્ધ નગરી હોલિવુડ પણ છે. અને આનંદપ્રમોદ માટે ડિઝની લેન્ડ પણ છે. 




                               કુદરતી સૌંદર્ય ભગવાને અહીં સીંચી સીંચીને ભર્યું છે. એક બાજુ વિશાલ અને ગહેરો પ્રશાંત મહાસાગર છે તો બી બાજુ લીલાછમ ડુંગરમાળાઓ  પથરાયેલી છે. એક વખત સોનાની ખાણો માટી આવી હતી એટલે લોકોનો ધસારો થયો હતો પરંતુ ટીમે જતા સોનુ સુકાઈ ગયું અને એનો મોહ પણ ચસલી ગયો. તે છતાં આજે કેલિફોર્નિયા સોનેરા રાજ્ય તરીકે ઓળખાય છે એટલેકે 'ગોલ્ડ્ર્ન સ્ટેટ' તરીકે ઓળખાય છે.  



                               બીજીરીતે  કેલિફોર્નિયા  કોસ્મોપોલીટન રાજ્ય અને થોડું ખરચાર્ળ  એટલેકે મોંઘવારી વધારે છે. ઘરો પણ મોંઘા છે અને ટેક્સઓનો દર  પણ બીજા રાજ્યો કરતા  વધારે છે. પરંતુ અહીંની આબુહવા સારી છે અને એની કિંમત અહીંના  લોકોએ ચૂકવવી પડે છે .  



                                       હવે કેલિફોર્નિયામાં હવા બદલાઈ રહી છે. મોંઘવારીને લીધે વેપારધંધા કેલિફોર્નિયાની બહાર જવા માંડ્યા છે. લોકો બીજા રાજ્યોમાં જવા લાગ્યા છે. એમાં કૅલિફૉર્નિયાએ ૩૦ બીલીઓન ડોલર ટેક્ષ  ગુમાવ્યો છે.  કૅલિફૉર્નિયાનો બેરોજગારી દર  ૫.૪%ઘટાડો છે  જે બીજા રાજ્યો કરતા અને  રાષ્ટ્રીય દર ૪% કરતા વધારે છે. નવા રોજગારીની તક ૦. ૮ એક  બેરોજગાર વ્યક્તિ દીઠ  છે જયારે બીજા રાજ્યોમાં એ રેશિઓ ૧.૬ છે. રાજ્યના બજેટમાં  ૩૮ બિલ્લીઓન ડોલરની  ડેફિસિટની ગવર્નરે  જાહેરાત કરેલી છે. કદાચ વાસ્તવિકમાં વધુ હશે એમ માનવામાં આવે છે.  વસતી  ઘટાડો થઇ રહ્યો છે એ પણ રાજ્યની પરિસ્થિતિ પાર પ્રકાશ નાખે છે.





                              આમ એક વખતના બહુજ સમૃદ્ધ  મનાતું  અને સિલીકોન વેલી ને લીધે જે જગપ્રસિદ્ધ  બન્યું છે.  જેની  કુદરતી સમૃદ્ધિ આપાર છે. એવા રાજ્યના આર્થિક પાયા ધ્રુજી  રહયા છે  એ આશ્ચર્ય જનક  છે. વધારે ટેક્સ નાખી શકાય છે પણ વધુ લોકો રાજ્ય છોડી જાય એવી પણ એક ભીતિ છે. 

                             ********************************

                                

  

                                

 

Wednesday, April 10, 2024

 


દહીં 

                                              દૂધમાં મોળવણ  નાખવાથી  દહીં બને છે. જે ઉમુક પ્રમાણમાં અને યોગ્ય  વખતે ખાવાથી શરીર માટે ઉત્તમ છે.  એમાં કેલ્શિયમ. પ્રોટીન , પોટેશિયમ , ફોસ્ફરસ , મેગ્નેસિયમ , વિટામિન બી કોમ્પ્લેક્સ જેવા તત્વો હોય છે જે શરીરની સ્વાસ્થ્ય  માટે ઉપયોગી હોય છે .

                                               દહીં ખાવાનો યોગ્ય સમય સવાર અને બપોરેનો છે.શિયાળામાં  અને ઉનાળામાં દહીં ખાવું આવકાર્ય છે. 

                                            તાજું દહીં શરીરના  મેટાબોલીઝમાં  સુધારો કરે છે.  રોગની સામે પ્રતિકાર કરવાની શક્તિ વધારે છે.   પેટના રોગને ઘટાડે છે.  બ્લડ પ્રેસર નિયમિત કરે છે અને હાંડકા મજબૂત કરે છે. ભૂખ વધારે છે અને ત્વચા સબંધિત સમસ્યાને દૂરકરે છે. તે ઉપરાંત દહીં શરીરના તાપમાનને  કાબુમાં રાખે છે અને   શરીરને ડી હાઇડ્રેશનથી પણ બચાવે છે.  પાચનશક્તિ વધારવામાં  દહીં મદદ રૂપ થાય છે.



                                            સૂર્યાસ્ત પછી દહીં  ન ખાવું જોઈએ . દહીં સાથે તળેલા પદાર્થો ને ખાવાથી પાચનશક્તિ મંદ પડે છે. એની સાથે લીધેલા ખાંટા પદાર્થો ગેસ,એસીડીટી , કબજિયાત , અપચો  જેવી બીમારી લાવી શકે છે. કેરી સાથે દહીં  ખાવાથી  કફ  ,ઉધરસ , અને  સાંધાના દુખાવાની સમસ્યા થઇ શકે છે.   તે ઉપરાંત ડેરી પ્રોડક્ટ સાથે દહીં ખાવાથી સોજાની સમસ્યા ઉભી થઇ શકે છે. 

                                          ટૂંકમાં  યોગ્ય સમયે  દહીંને  ખાવાથી ફાયદાકારક છે પરંતુ  જયારે એને અયોગ્ય પદાર્થો સાથે લેવામાં  આવે તો શારીરિક સમસ્યાઓ  ઉભી થઇ શકે છે.

                                           ********************************* 

Saturday, April 6, 2024

 


સ્વાસ્થ્ય 

                                                                   શરીરની તંદુરસ્તીની જાળવવા માટે  દરેકે પોતાનો આહાર , અને કુટેવો પર ધ્યાન રાખવું જરૂરી છે. ઘણીવાર ભાવતી વસ્તુઓનો ત્યાગ કરી તંદુરસ્તીને લાયક ખોરાક ખાવાની જરૂરિયાત છે. તેજ પ્રમાણે હાનિકારક   શોખોને  છોડીને શરીરને અનુરૂપ શોખો સાથે જવાની વૃત્તિ હોવી પણ જરૂરી છે.

                                આહારમાં  વધારે  લીલા શાકભાજી  ખાવાની જરૂરિયાત હોય છે.  બીટ અને ગાજર શરીર માટે  સારા  છે . તે ઉપરાંત ટામેટા , કારેલા,કાંકડી , ખાવાથી તંદુરસ્તી સારી રહે છે. દૂધી પણ   લોહીની  શુદ્ધિ માટે ઉપયોગી છે.

                              તળેલી વસ્તુઓ શરીર માટે હાનિકારક છે.  પુરી , પકોડી જેવી વસ્તુઓ શરીર માટે હાનિકારક છે. પીઝા, પાઉં અને ઈંડા  પણ વધુ પ્રમાણમાં ખાવાથી  તંદુરસ્તી માટે નુકશાનકારક  છે. વધારે પડતા તીખા ખોરાક પણ લાંબેગાળે શરીરને  નુકશાન કરે છે. 



                               તમાકુ , ગુટકા ખાવાની આદતો નુકસાન કારક છે. એનાથી કેન્સર જેવી ગંભીર બીમારી  થઇ શકે છે એનું અનુમોદન  ડોક્ટરો પણ કરી ચુક્યા છે. જે જલદી સુવે અને જલદી ઉઠે એ તંદુરસ્ત રહે છે.

                                જેમનું પેટ સાફ રહે છે એ હંમેશા તંદુરસ્ત રહે છે. થોડું પેટ ખાલી રાખીને ખાવાથી પણ શરીર સારું રહે છે. અનુભવ કહે છેકે'લોકો  ગમેતેમ ખાવાથી મરી જાય છે પરંતુ ભૂખથી બહુ ઓછા મરે છે'. ઘણીવાર અનિયમિત જીવન અને ગમે તેમ ખાવાથી પેટ બહાર આવી જાય છે  એ પણ શરીરની તંદુરસ્તી માટે સારું નથી.

                              શરીર માટે કોઈને કોઈ કસરત આવશ્યક  છે. એટલા માટે દરેક વ્યક્તિએ   દિવસમાં ઓછામાં ઓછા  ૩૦ મિનિટ ચાલવું  આવશ્યક છે. કઈ નહીતો ૧૦૮ વાર તાળી પાડવાથી પણ તંદુરસ્તી જળવાઈ રહે એવું પણ માનવામાં આવે છે.



                             આયુર્વેદ પણ તંદુરસ્તી  માટે ઘરની આજુબાજુ  સારી એવી લીલોતરી હોવી જોઈએ જે વાતાવરણ સારું રાખે. તુલસીનો છોડ પણ ઘરના માટે આરોગ્યદાયક ગણાય  છે. ઘણા લોકો  તાંબાના લોટામાંનુ  પાણી તંદુરસ્તી માટે પીવે છે.

                  મૂળમાં સારી આદતો, તંદુરસ્ત ખોરાક અને અનુરૂપ કસરત જ શરીરને તંદુરસ્ત રાખે છે.

                                          **********************************

Tuesday, March 26, 2024



સેમ અલ્ટમેન અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ 

                                                                         આજે સેમ અલ્ટમેનનું નામ આર્ટિફિશ્યલ ઇન્ટિલિજન્સ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો   સદઉપયોગ કરવાનો ઉદ્દેશની  જવાબદારી એમણે લીધેલી છે. તેઓ ટેક્નોલોજી  કંપની   'ઓપન -એઆઈ' ના  મુખિયા  છે.

                                                                 એમણે 'ચેટ જીપીટી'  બહાર પાડીને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માં ક્રાંતિ લાવી દીધી છે અને એનાથી આગળ વધીને ચેટ જીપીટી -૪ સુધારેલું  બોક્સ બહાર પાડવાની તૈયારીમાં છે. એમના ઉદ્દેશમાંથી ચલિત થવાની શંકા થવાથી  એમની કંપનીએ એમને વિલંબિત કરી નાખ્યા હતા પરંતુ એમની કંપનીના કામદારોના અને કંપનીના રોકાણકારોના ટેકાથી એમને પાછા લેવા પડ્યા છે. એના ટેકામાં ગુગલ જેવી માતબર કંપની પણ હતી જેણે એમાં સારું એવું રોકાણ પણ કરેલું છે. પરંતુ આ બનાવની પાછળના કારણો જાણવા જરૂરી છે. 

                                                                   આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દુનિયાને ઉપયોગી ક્રાંતિ પણ લાવી શકે છે ,પરંતુ એનો દુરુપયોગ પણ થઇ શકે છે. જોકે એ ટેક્નોલોજીમાં હજુ ગણું કરવાનું બાકી છે. તે છતાં એ કવિતાઓ , લેખો , ડિઝાઇન , અને પેઇન્ટિંગ જેવી કલામાં પણ ઉતરી શકે છે. એ કલાકારો , લેખકો , કવિઓ, ડિઝાઈનરો વગેરેના કોપી રાઈટ ને માટે ભયરૂપ બની શકે છે. બીજા અર્થમાં મનુષ્યની કૈક  નવું રજુ કરવાની  હોશિયારીને નુકશાન કરી શકે છે. એ દ્રષ્ટિએ એ માનવતા માટે ભય રૂપ છે. માનવોની રોજગારીને પણ નુકશાન કરી શકે છે. આથી એનો ઉપયોગ માનવોની ઉન્નતિ કરવા માટે ઉપયોગ કરવો જરૂરી  છે. એ ટેકનોલોજી જો ગુનેગારોના હાથમાં પડી જાય તો એનો દુરુપયોગ પણ થઇ શકે છે . એટલા માટે ઘણા દેશો એના પરઅંકુશ મુકવાના કાયદાઓ પણ ઘડવા લાગ્યા છે.



                                                     એના અનુસંધાનમાં  'ઓપન -એઆઈ ' કંપનીની રચના કરવામાં આવી છે. એના મુખિયા સેમ  અલ્ટમેન  પર  મોટી જવાબદારી છે.  એલન મસ્ક પણ એક વખત એ કંપની સાથે જોડાયેલા હતા. વચમાં કંપનીના કેટલાક ડિરેક્ટરોને અલ્ટમેનની વર્તણુક શકાસ્પદ લાગી અને તેઓ એના ઉદ્દેશથી ખસીરહ્યા હોય એમ લાગવાથી એમને બરખાસ્ત કરી નાખ્યા હતા. પરંતુ હવે ફરીથી એમને કંપનીની દોર સોંપવામાં આવી છે.તેઓની ગણના વિશ્વના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના  ઉચ્ચ  ટેકનોલોજી વિઝાર્ડ  માનવામાં આવે છે. 

                                                   આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સ હજુ પૂર્ણતા પર પહોંચી નથી કારણકે એના ચેટ   બોક્સ  બધાજ પ્રશ્નોના સાચા ઉત્તર આપવામાં સફળ થયા નથી. તે છતાં માનવતાના હિતમાં એ ટેક્નોલોજીના વિકાસમાં  પૂરતી સાવધાની રાખવી જરૂરી છે. કારણકે એનાથી દુનિયામાં નવી ક્રાંતિ આવી શકે છે, પરંતુ એના દુરુપયોગથી નુકશાન પણ થઇ શકે છે.

                                    ********************************** 

Wednesday, March 13, 2024



 દારૂનું સેવન 

                                    દારૂના સેવનને નૈતિકતાની દ્રષ્ટિથી કે પછી  સામાજિક દુષણો તરીકે જોવા કરતા એને બીમારી તરીકે જોવાની જરૂરિયાત છે. એનો ઈલાજ પણ રીતે થવો જોઈએ . વિશ્વમાં કાયદાથી એને કાબુમાં લાવવા પણ પ્રયત્નો થયા છે, પરંતુ અમેરિકા અને રશિયા જેવા મોટા દેશો પણ એમાં નિસ્ફળ નીવડ્યા છે.

                                દારૂનું સેવન પુરાતન કાળથી થતું આવ્યું છે.ભારતમાં તો એ સોમરસ નામે ઓળખાતો હતો.  એના સામાજિક જડ પણ બહુ  શક્તિશાળી વર્ગમાં  મજબૂત રહયા  છે.એથી એના કાબુંમાટે તર્ક પણ વાપરવાની જરૂરત છે.



                               તર્કની દ્રષ્ટિએ છેલ્લા દાયકાથી દરરોજના એક કે બે કપ વાઈન પીવાથી  હૃદય મજબૂત બને છે. એમ માનવામાં આવતું હતું. પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાનઆ અહેવાલ પ્રમાણે દારૂ કોઈ પણ પ્રમાણમાં લેવાથી એ તંદુરસ્તી માટે હાનિકારક છે. આથી અમેરિકામાં અને  કેનેડામાં એનું સેવન  કરવાની મર્યાદાઓ ઓછી કરવામાં આવી છે.



                                   એક વાતમાં તથ્ય છેકે દારૂના સેવનથી લીવર પર ખરાબ અસર થાય છે. અને અનેક જાતના કેન્સર પણ થઇ શકે છે. આથી દૂરના સેવનની સ્વાચ્છીક  મર્યાદા લાવવી જરૂરી છે. આલ્કોહોલ સેવનથી આયુષ્ય પણ ઓછું થઇ શકે છે. તે ઉપરાંત ૧૫% જેટલા બ્રેસ્ટ કેન્સર દારૂના સેવનથી થાય છે. 'વિશ્વ હૃદય   સંઘઠને  '  ૨૦૨૨ જાહેર કયુંછેકે આલ્હોહોલ માનવીની તબિયતને આડ અસર કરે છે. એટલે હૃદયની તંદુરસ્તીને પણ  એ લાગુ પડે છે.

          આથી દારૂ સેવનના  પ્રશ્નને  સ્વાસ્થ્યને ધ્યાનમાં  રાખીને લેવાની જરૂરત છે જેથી એને કાબુમાં લાવી શકાય. એને કાયદાથી  ઉકેલવામાં મુશ્કેલી રહેલી છે કારણકે એમાં સમાજનો  શકિશાળી  વર્ગ  અને  બહુમતી ગરીબ લોકો પણ દારૂ સેવનમાં સંડોવાયેલા હોય છે. 

                                *****************************

                                         

                                        

Sunday, March 3, 2024



 વૃદ્ધાવસ્થામાં વિસ્મૃતિ 

                                                      ઘણા  વૃધ્ધો  વૃદ્ધાવસ્થામાં વિસ્મૃતિનો અનુભવ થાય છે. અને એમાંથી અલ્ઝેમર જેવા ભયંકર રોગોના પણ કેટલાક લોકો ભોગ બને છે. અલ્ઝેમર જેવા રોગોમાં ઘણા પોતાની  પાર કાબુ પણ ગુમાવી દે છે અને નિરાધાર હાલતમાં દયામય સ્થતિમાં જીવતા હોય છે. આથી એવા રોગીઓની માટે  હંમેશા એક વ્યક્તિની સંભાળ રાખવાની જરૂરત રહે છે. એવો કરુણ દાખલો અમેરિકાના પૂર્વ પ્રમુખ રેનાલ્ડ રેગનનો  હતો .  તેઓ અલ્ઝેમરના ભોગ બન્યા હતા.ઘણીવાર  એમનો  પૌત્ર એમને એમની લાકડી પકડી  કેલિફોર્નિયામાં સેંતા મોનિકા દરિયા કિનારે ફરવા દોરી જતો  જોવા મળતો  હતો.

                                      વૃદ્ધાવસ્થામાં વૃદ્ધોએ  કાળજી લેવી જરૂરી છે જેથી તેમની  વિસ્મૃતિ દયામય સ્થિતિએ ન પહોંચી જાય કે એમને અલ્ઝેમર  રોગ સુધી દોરી જાય. વિશ્વના વિજ્ઞાનીકોએ વૃદ્ધોની  વિસ્મૃતિની બાબતમાં સારી એવી શોધો કરી રહયા છે. તેઓ માને છે કે  વૃદ્ધો નવી નવી વસ્તુઓ શીખવાથી  વિસ્મૃતિને  દૂર કે કાબુમાં રાખી શકે  છે. માનવીની  કેટલીક શક્તિઓ પર 30 વર્ષની ઉંમરથી આડ અસર શરુ થાય છે અને 60 વર્ષની ઉંમરની આજુબાજુ  એ ત્રીવ બને છે. 

                                      ઘણા મનુષ્યો માને  છેકે નિવૃત્તિ એટલે બધી પ્રવૃત્તિઓ છોડીને મઝા અને  આરામ કરવો. એવાજ લોકો અલ્ઝેમરના અથવા વિસ્મૃત્તિના  ભોગ બનતા હોય છે. માનવીના મગજને પ્રવૃતિઓ જ  જીવિત અને વધુ ત્રીવ બનાવે છે . એનાથીજ એની યાદ શક્તિ વધે છે.  નિવૃત્તિ એટલે  માનવીની પ્રવૃતિઓમાં બદલાવ નહિ કે બધી પ્રવૃત્તિઓને તદ્દન બંધ કરી દેવી. ટૂંકમાં તમે તમારા જીવનસંગ્રામમાં  જે પ્રવૃતિઓ ન કરી શક્યા હોય એવા તમારા શોખો  પ્રવાસ, વાંચન, સંગીત , લેખન  વગેરે તમે નિવૃત્તિ સમયમાં વિકસાવી  શકો છો. મિત્રો અને સગા સબંધીઓ સાથે વધારે  ગાઢ બનાવી શકો છો. આવી પ્રવૃતિઓ પણ તમારી  યાદશક્તિનો  વિકાસ  કરી શકાય  છે.

                                                            તે ઉપરાંત નિવૃત્તિમાં નવી નવી વસ્તુઓ જેમાં રસ હોય એ વિષે શીખવા પણ પ્રયત્ન કરવો જોઈએ જે તમારા મગજને વધુ ત્રીવ બનાવે.  'આઈ પેડનો' ઉપયોગ કરતા પણ શીખી શકાય .બીજુ ફોટોગ્રાફી ,જુદી જુદી ભાષાઓ શીખવી  અને સંગીતની નવી કૃતિઓ પણ બનાવી શકાય છે. આવી પ્રવૃતિઓ સ્મૃતિને  વધારી અને મજબૂત બનાવી શકે છે.



                                                         અત્યારે કેટલાક  વિજ્ઞાનીઓ  એવા પણ સંધોધન  પર આવ્યા છેકે  ઘણા વખતથી વિટામિન્સ લેનારા  વૃધ્ધોને  વિસ્મૃતિનો ભય ઓછો રહે છે. આ બધા સૂચનો સાથે વૃદ્ધોને માટે સકારત્મક વાતાવરણ ની જરૂરી છે જેથી તેઓ તંદુરસ્ત જીવન જીવી વિસ્મૃતિ જેવી બીમારીથી બચી શકે.

                                           ******************************************